Pandit Din Dayal Aavas Yojana | મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મળશે રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય
“પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના-જાતિ કલ્યાણ વિકસાવવી” એ ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક કલ્યાણકારી યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC), આર્થિક રીતે પછાત વર્ગો (EBC), અને વિચરતી મુક્તિ પામેલી જાતિઓ (NEC) ના પાત્ર લાભાર્થીઓને નવા મકાનો બનાવવા માટે ₹1,20,000/- સુધીની નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના ગરીબી રેખા નીચે (BPL) પરિવારો, સૌથી પછાત વર્ગો અને વિચરતી સમુદાયોને પ્રાથમિકતા આપે છે.
Pandit Deendayal Upadhyay Awas Yojana 2025 Details |
|
યોજનાનું નામ | પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2025 |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
લેખનો પ્રકાર | સરકારી યોજના |
અરજી | પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2025 અરજી કરો |
સત્તાવાર પોર્ટલ | https://esamajkalyan.gujarat.gov.in |
લાભ | રૂ.1,20,000ની મકાન સહાય |
દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો મુખ્ય હેતુ
આ યોજના એટલે કે દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ 2025) દરમ્યાન મકાનની સહાય માટે રૂ.1,20,000 ની સહાય મળવા માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઇ છે. હાલ સમાજ કલ્યાણ કચેરીમાં અરજીઓની ચકાસણી કરાઈ છે, અને તે અરજીના ડોક્યુમેન્ટ પુરા ન હોય તો 10 દિવસમાં પૂરા કરીને મોકલી આપવાના હોય છે. ચકાસણી કરી લીધા પછી સ્થળ તપાસ કરી તમામ માન્ય લાભાર્થીઓની યાદી કરી ગાંધીનગર ખાતે મોકલાય છે. તેમાં વિધવા અને અતિઆવશ્યક ને પ્રથમ મોકો આપ્યા પછી તમામ લક્ષ્યાંક પ્રમાણે ડ્રો કરવામાં આવશે, અને તેમાં પાસ થયેલ લાભાર્થીઓને પહેલો ₹40,000 હપ્તો, બીજો હપ્તો ₹60,000 અડધા લેવલે મકાન બનાવ્યા બાદ મળવા પાત્ર છે.
છેલ્લે મકાનની તમામ કામગીરી પુરી કરી તેમજ શૌચાલય ન હોય તો શૌચાલય બનાવી મકાનને તકતી માર્યા પછી ₹20,000 નો હપ્તો મળતો હોય છે. પહેલો હપ્તો મળ્યા પછી બે વર્ષમાં તમામ મકાનની કામગીરી પુર્ણ કરવાની હોય છે.
સહાયનું ધોરણ
- સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
- મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.
Pandit Din Dayal Aavas Yojana 2024 Document List
- અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
- આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
How to Apply Online Pandit Din Dayal Upadhyay Awas Yojana 2025
- ઈ-સમાજકલ્યાણ પોર્ટલની મુલાકાત લો https://esamajkalyan.gujarat.gov.in
- Click on Please Register Here link to register on e-samajkalyan Portal.
- સંપૂર્ણ માહિતી ભર્યા પછી રજીસ્ટર બટન પર ક્લિક કરો.
- રજિસ્ટર બટન પર ક્લિક કર્યા પછી, તેમાં તમારું નામ, જન્મ તારીખ અને જાતિની માહિતી હશે.
- જો માહિતી સાચી હોય તો Confirm બટન પર ક્લિક કરો.
- જો માહિતી સાચી ન હોય તો ફરીથી માહિતી બદલવા માટે કેન્સલ બટન પર ક્લિક કરો અને રજીસ્ટર પર ક્લિક કરો.
- નોંધણી પછી, યુઝર આઈડી અને પાસવર્ડ SMS અથવા MAIL દ્વારા મોકલવામાં આવશે.
- લોગિન કર્યા પછી, તમારી પ્રોફાઇલમાં માહિતી પૂર્ણ કરો, નવું પૃષ્ઠ વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ સાથે ભરવામાં આવશે.
Pandit Din Dayal Aavas Yojana 2024 Status Check
- Visit e-samajkalyan Portal https://esamajkalyan.gujarat.gov.in
- Thus, Click to your Application Status Butten
- Enter your Application number and date of Birth
- Last Check Application Status Butten and See your Application Status.
Important Links
Official Website | Click Here |
How Apply Online Official Tutorial Video | – |
Apply Online | Click Here |
Check Application Status | Click Here |
Director Scheduled Cast Welfare Official details | Click Here |
પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
જવાબ : Official Website Is https://esamajkalyan.gujarat.gov.in/
જવાબ : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ તથા વિચરતી વિમુકત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેર અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે જેમના નામે પોતાની માલિકીનો પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ મળેલ હોય તેવા ઈસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે .
જવાબ : હા , શૌચાલય સહાય માટે રૂ .૧૨,૦૦૦ / – તથા મનરેગા હેઠળ ૩.૧૬૯૨૦ / – મળી કુલ રૂ .૧,૪૮,૯૨૦ / સહાય મળવાપાત્ર થાય છે . મનરેગા તથા શૌચાલયનો લાભ ગ્રામ પંચાયત મારફત તાલુકા પંચાયતમાંથી મેળવવાનો રહેશે .
જવાબ : આ યોજના હેઠળ કુલ રૂ .૧.૨૦ લાખ સહાય મળે છે . સહાય ત્રણ હપ્તામાં મળે . જેમાં પ્રથમ હપ્તો ૩.૪૦,૦૦૦ / – ( વહીવટી મંજુરીના હુકમ સાથે ) બીજો હપ્તો રૂ .૬૦,૦૦૦ / – ( લેન્ટર લેવલે પહોંચ્યા બાદ ) તથા ત્રીજો હપ્તો રૂ . ૨૦,૦૦૦ / – ( શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી ) મળી શકે છે