સંત સુરદાસ યોજના: દિવ્યાંગજનોને દર મહિને મળશે 1000 રૂપિયાની આર્થિક સહાય

સંત સુરદાસ યોજના એ ગુજરાત સરકાર દ્વારા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે શરૂ કરાયેલી એક મહત્વની પહેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોને આર્થિક રીતે સક્ષમ બનાવીને સમાજમાં સન્માનભેર જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ગુજરાત સરકાર હંમેશાં દિવ્યાંગ લોકોના હિત માટે નવી યોજનાઓ લાવતી રહે છે. તેવી જ એક મહત્વપૂર્ણ યોજના છે “સંત સુરદાસ યોજના”, જેનો હેતુ દિવ્યાંગ ભાઈ-બહેનોને આર્થિક મદદ પૂરી પાડી તેમને સ્વાવલંબન તરફ આગળ વધારવાનો છે. આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અમલમાં છે.

યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો

  • આર્થિક સહાય: દિવ્યાંગ વ્યક્તિઓને માસિક પેન્શન આપીને તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરવી.
  • જીવનધોરણ સુધારવું: નાણાકીય સહાય દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના જીવનધોરણમાં સુધારો લાવવો.
  • સમાવેશકતા: દિવ્યાંગજનોને સમાજમાં સક્રિય અને સન્માનિત સભ્યો તરીકે સામેલ કરવા.
  • સ્વાવલંબન: આર્થિક સહાયથી તેમને કોઈના પર નિર્ભર રહેવું ન પડે તેવો માહોલ બનાવવો.

યોજના માટેની પાત્રતાના માપદંડ

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની શરતો પૂરી કરવી જરૂરી છે:

  • રહેવાસી: અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ.
  • વિકલાંગતા: અરજદારની વિકલાંગતા 60% કે તેથી વધુ હોવી જોઈએ. આ માટે સરકારી ડોક્ટરનું પ્રમાણપત્ર ફરજિયાત છે.
  • આવક મર્યાદા: ગ્રામીણ વિસ્તારો માટે વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારો માટે વાર્ષિક આવક રૂ. 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
  • વય મર્યાદા: અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

જરૂરી દસ્તાવેજો

અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા:

  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
  • દિવ્યાંગ ઓળખ કાર્ડ / સીવીલ સર્જનશ્રીનું દિવયાંગતાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
  • બી.પી.એલ. સ્કોર અંગે નો દાખલો/ સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈ પણ એક(જો હોય તો)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક
  • આધાર કાર્ડની નકલ
  • દિવ્યાંગ ઓળખકાર્ડ( એસ.ટી બસપાસ)
ક્રમ નં દિવ્યાંગતા મળવાપાત્ર યોજનાનો લાભ
અંધત્વ ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
સાંભળવાની ક્ષતિ ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
ઓછી દ્રષ્ટી ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
બૌધ્ધિક અસમર્થતા ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૧૦ રકતપિત-સાજા થયેલા ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૧૧ દીર્ધ કાલીન અનેમિયા ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૧૨ એસીડના હુમલાનો ભોગ બનેલા ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૧3 હલન ચલન સથેની અશકતતા ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૧૪ સેરેબલપાલ્સી ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૧૫ વામનતા ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૧૬ માનસિક બિમાર ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૧૭ બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૧૮ ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૧૯ વાણી અને ભાષાની અશકતતા ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૨૦ ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા
૨૧ બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

લાભ શું મળે ?

  • આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૧૦૦૦/- સહાય મળવા પાત્ર છે.
  • અરજદારને સહાય પોસ્ટ /બેંક ખાતા ડી.બી .ટી. મારફત ચૂકવવામાં આવે છે.

આ યોજનાના અરજી પત્રક:

  • આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.inપોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે તેમજ આ યોજનનો લાભ ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડીજીટલ સેવા સેતુ અંતર્ગત ઇ-ગ્રામ કેન્દ્રો ” મારફતે માત્ર એક જ દિવસમાં અપાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
  • ઓનલાઇન અરજીઓની ચકાસણી કરી મંજુર કરવાની સત્તા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે.

જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ બ્લોગને વધુ લોકોને શેર કરો, જેથી પાત્ર લોકોને સરકારની સહાયનો લાભ મળી શકે.