કૃષિ યાંત્રિકીકરણ યોજના | ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય

September 20, 2025 2:25 AM
Share on Media
Farmers Scheme Gujarat, Tractor Subsidy, Farm Implements Assistance, Gujarat Government Yojana, Agriculture Subsidy

Agricultural Equipment Subsidy Yojana: ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે ખેડૂતોને ટ્રેક્ટર સહિત વિવિધ ખેત ઓજારોની ખરીદી પર મોટી નાણાકીય સહાય આપવામાં આવશે, જેનાથી માનવશ્રમ અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે.

ટ્રેક્ટર અને ઓજારો માટે બજેટમાં મોટો વધારો

આ વર્ષના બજેટમાં સરકારે કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે માતબર રકમની જોગવાઈ કરી છે.

ટ્રેક્ટર માટે સહાય: આ વર્ષે ટ્રેક્ટરની ખરીદી માટે રૂ. 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં બમણી છે. આ અંતર્ગત 80,000 ખેડૂતોને સહાય આપવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધીમાં 76,000થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ પણ આપી દેવાયા છે.

અન્ય મશીનરી માટે સહાય: રોટાવેટર, થ્રેશર, હાર્વેસ્ટર જેવી અન્ય મશીનરી માટે રૂ. 590.98 કરોડની જોગવાઈ મંજૂર થઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણાથી પણ વધુ છે. આ અંતર્ગત 1,16,700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી મળી છે.

આમ, કુલ મળીને, 1,92,700થી વધુ ખેડૂતોને વિવિધ મશીનરી ખરીદવા માટે પૂર્વ મંજૂરી અપાઈ ચૂકી છે.

સહાયની રકમમાં મોટો ફેરફાર

આ વર્ષથી, ખેડૂતોને મળતી સહાયની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

નવી સહાય: હવે ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા રૂ. 1,00,000 સુધીની સહાય મળશે, બેમાંથી જે ઓછું હશે તે લાગુ પડશે.

જૂની સહાય: અગાઉ, 40 HP સુધીના ટ્રેક્ટર પર રૂ. 45,000 અને 40થી 60 HP સુધીના ટ્રેક્ટર પર રૂ. 60,000 સુધીની સહાય મળતી હતી.

સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આધુનિક ઉપકરણો ખરીદવામાં મોટી મદદ મળશે. છેલ્લા એક દાયકામાં સરકારે ટ્રેક્ટર અને અન્ય મશીનરી માટે કુલ રૂ. 2,780 કરોડથી વધુની સહાય આપી છે, જેનાથી 7 લાખથી વધુ ખેડૂતોને લાભ થયો છે.

સહાય મેળવવા શું કરવું?

  • જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે i-ખેડૂત પોર્ટલ ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  •  i-ખેડૂત વેબસાઈટ પર લોગ ઇન કરીને ‘કંપની/ડીલર’ વિભાગમાં જાઓ. ત્યાં તમારે વિભાગ, ઉત્પાદનનો પ્રકાર, અને સાધનસામગ્રી જેવી વિગતો પસંદ કરવાની રહેશે. અરજી મંજૂર થતા ખેડૂતને મેસેજ આવશે, અને તે સમયે જરૂર પડે ત્યાં જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.

કૃષિ સાધનો સબસિડી યોજના માટે પાત્રતા ધોરણ

  • અરજદારો ભારતના કાયમી રહેવાસી હોવા જોઈએ.
  • ફક્ત ખેતીની જમીન ધરાવતા ખેડૂતો જ પાત્ર બનશે.
  • લાભો મેળવવા માટે, ખેડૂતનું આધાર કાર્ડ તેના બેંક ખાતા સાથે લિંક હોવું આવશ્યક છે.
  • ખેડૂત સહકારી મંડળી, FPO, અથવા ખેતીની જમીનનો સભ્ય હોવો જોઈએ.
  • અગાઉ આ યોજનાનો લાભ લીધો નથી.
  • 18 વર્ષથી વધુ ઉંમરનો હોવો જોઈએ.
  • સંબંધિત રાજ્યમાં નોંધાયેલ ખેડૂત હોવો જોઈએ.

કૃષિ સાધનો સબસિડી યોજના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • અરજદારની સહી
  • અરજદારની બેંક પાસબુકની નકલ
  • અરજદારનો રહેઠાણ પ્રમાણપત્ર
  • જમીનના દસ્તાવેજો

 

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now